૨૬ મી સપ્ટેમ્બરે નર્મદા જિલ્લાના ન્યાયાલય સહીતની તમામ અદાલતોમાં ઇ- લોક અદાલત યોજાશે,
રાજપીપળા :- ગુજરાત રાજ્ય કાનૂની સેવા મંડળ, અમદાવાદ માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી એન.પી.ચૌધરીના અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લાની તમામ અદાલતોમાં તા. ૨૬ મી સપ્ટેમ્બર,૨૦૨૦ ને શનિવારના રોજ ઇ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઇ-લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસ, એન આઇ એક્ટ કલમ ૧૩૮, મની રિકવરીનાં કેસો, એમએસીટી કેસો, મજૂર વિવાદ હેઠળના કેસો, વીજળી અને પાણીના બિલના કેસો (બિન ( કેસ), જમીન સંપાદન કેસ, સેવા સંબંધિત બાબતો જેવી કે પગાર અને ભથ્થા અને નિવૃત્તિ લાભ, મહેસૂલ કેસ અને અન્ય નાગરિક કેસ (ભાડું,ભરણપોષણ દ્વારા ઇઝમેન્ટરી રાઇટ્સ, મનાઇ હુકમ અન્ય વિશિષ્ટ કેસ) સમાધાન માટે મૂકી શકાશે. આ ઇ-લોક અદાલતમાં કોવીડ-૧૯ ના કારણે પક્ષકારો, વકીલો અને કોર્ટના કર્મચારીગણ અને ન્યાયાધીશો માં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે સારૂ આ તમામને અદાલતમાં પ્રત્યક્ષ હાજર રાખ્યા વગર વિડીયો કોન્ફરન્સમાં માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.
ઈ-લોક અદાલત બાબતે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેવા લોકો નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકામાં કાર્યરત એવી તાલુકા કાનૂની સેવા સમિતિ ની કચેરી સંપર્ક સાધવાનો રહેશે, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નર્મદા અને તાલુકા કાનૂની સેવા સમિતિ, રાજપીપલા માટે ફોન નં. (૦૨૬૪૦)-૨૨૦૨૯૪ તેમજ સંબંધિત તાલુકા સેવા સમિતિમાં દેડીયાપાડા માટે ફોન નં. (૦૨૬૪૯)-૨૩૪૦૦૪, સાગબારા માટે ફોન નં. (૦૨૬૪૯)-૨૫૫૨૫૦, તિલકવાડા માટે ફોન નં. (૦૨૬૬૧)-૨૬૬૧૨૩ અને ગરૂડેશ્વર માટે ફોન નં.(૦૨૬૪૦)-૨૩૭૦૪૪ છે, જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા શ્રી જે.એ.રંગીલા, સચિવશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નર્મદા-રાજપીપળા તરફથી એક અખબારી યાદીમાં જણાવ,
રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા